ગાંધી આશ્રમ ઝીલીયા ના સ્થાપક તેમજ પ્રખર ગાંધીવાદી એવા માલજીભાઈ દેસાઈ ને પ્રજાસત્તાક દિવસના રોજ પદ્મશ્રી એવોર્ડ મળતા વિવિધ રાજકીય પક્ષો તેમજ વિવિધ સંસ્થાઓ દ્વારા તેમનું સન્માન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજરોજ ભારતીય સ્ટેટ બેન્ક ના અધિકારીઓ દ્વારા આજરોજ ગાંધી આશ્રમ ખાતે તેમનું વિવિધ મોમેન્ટો આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે સ્ટેટ બેંકના મિથિલેશ કુમાર ડેપ્યુટી જનરલ મેનેજર, શિવમ મિશ્રા ચીફ મેનેજર, સંદીપ કેદારે મેનેજર સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ચાણસ્મા શાખાના સહિતના ઉપસ્થિત રહી પદ્મશ્રી એવોર્ડ માલજીભાઈ દેસાઈ અને વિવિધ મોમેન્ટો આપી તેમજ સાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું
રીપોટર. કમલેશ પટેલ પાટણ