દાહોદ જિલ્લાના ભાટીવાડામાં શ્રી મૃત્યુંજય પાર્દેશ્વર મહાદેવ આવેલું છે. આ મંદિરની વિશેષતા એ છે કે આ મંદિર ૨૫૧ કિલો વજન ધરાવતું પારદ નું આવેલું છે. આ શિવલિંગ ગુજરાતમાં બીજો નંબર ધરાવતું પારદનું શિવલિંગ છે. શ્રાવણના પવિત્ર માસમાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ આ મંદિર ભગવાન ભોલેનાથના દર્શન કરી ધન્યતા અનુભવે છે. શ્રાવણ માસમાં દાહોદ જિલ્લાના કોર્પોરેટર શ્રી ભાવનાબેન વ્યાસ તેમજ સીટી પ્રમુખશ્રી મનોજભાઈ વ્યાસ, જીતુભાઈ પટેલ અને મનોજ ભાઈ સરીયા દ્વારા શ્રી મૃત્યુંજય પારદેશ્વર મહાદેવ મંદિરમાં લઘુરુદ્ર અભિષેક અને પૂજા વિધિ બ્રાહ્મણ દ્વારા કરાવી ધન્યતા અનુભવી હતી. આ પૂજા વિધિમાં બ્રાહ્મણ શ્રી ઋષિભાઈ વ્યાસ તેમજ તેમનું પરિવાર હાજર રહ્યું હતું.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ દાહોદ