આજરોજ શ્રી કે આર દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઝાલોદ કોલેજમાં મતદાર યાદી સુધારણા અને મતદાર જાગૃતિ અભિયાન કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમા જીલ્લા શિક્ષણ અધિકારી શ્રીમતી કાજલબેન દવે, નાયબ મામલતદાર શ્રીમતી કૃપાબેન ગઢવી, વાંગડ મોડેલ સ્કૂલના આચાર્ય શ્રી મુનિયા સાહેબ તથા સંસ્થાના સેક્રેટરી ડો. પી એમ પટેલ હાજર રહ્યા હતા. સંસ્થાના આચાર્ય શ્રી એમ એમ પટેલ સાહેબે સર્વે મહેમાનોનુ સ્વાગત કર્યું હતું. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ અને એનએસએસ વિભાગના તમામ સ્વયં સેવકો હાજર રહ્યા હતા. કાર્યક્રમનું સંચાલન એનએસએસ વિભાગના પ્રોગ્રામ ઓફિસર શ્રી બી એમ ગોહિલે કર્યું હતું અને ઉપસ્થિત સર્વે મહેમાનોનો અને કાર્યક્રમને સફળ બનાવનાર હાજર રહેલ એનએસએસ વિભાગના સ્વયં સેવકો અને વિદ્યાર્થીઓનો તથા કાર્યક્રમના સ્પોન્સર પ્રેરણા જયોત ચેરીટેબલ ટ્રસ્ટનો આભાર વ્યક્ત કર્યો હતો.
બી.એમ. ગોહિલ
પ્રોગ્રામ ઓફિસર, એનએસએસ વિભાગ, કે.આર. દેસાઈ આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ,ઝાલોદ
રિપોર્ટર : પંકજ પંડિત