પાટીદાર સમાજ ના પ્રમુખ ની સાથે ભંડવાલ ગામ ના સરપંચ અને માર્કેટયાર્ડ ના ડિરેક્ટર નરેશ પટેલ ખાસ હાજર રહ્યા.
વડાલી પાટીદાર સમાજ
વડાલી તાલુકા ના પાટીદાર સમાજ ના આગેવાનો અમદાવાદ સરદારધામ ના આદ્યસ્થાપક ગગજીભાઈ સાહેબ તથા ટ્રસ્ટીઓની વડાલી તાલુકા ૧૨ ગોળ કડવા પાટીદાર સમાજ ના પ્રમુખ,સાબરડેરી ના ડિરેક્ટર,વડાલી ભાજપાના પ્રમુખ જયંતિભાઈ પટેલ તેમજ વડાલી તાલુકાની ભંડવાલ ગ્રામ પંચાયત ના સરપંચ નરેશભાઈ પટેલ,અમૃતભાઈ પટેલ,રમેશભાઈ પટેલ,નારાયણભાઈ પટેલ,અતુલભાઈ પટેલ આ તમામ આગેવાનો દ્વારા મુલાકાત લેવામાં આવી હતી. જેમાં સરદાર ધામમાં UPSC અને GPSC ની તૈયારી કરવા માટે પાટીદાર સમાજના આગેવાનો સાથે મળી ને વિધાર્થીઓ સરદાર ધામમાં પ્રવેશ આપવા અને પરીક્ષાઓ માટે વિધાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય ની ચિંતા કરી એડમિશન માટે ચર્ચા કરવામાં આવી હતી.
રિપોર્ટર..રમેશ પટેલ..વડાલી