પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકા બારીઆ ક્ષત્રિય સમાજ દ્વારા આયોજિત "શ્રદ્ધાંજલિ કાર્યક્રમ"મોરવા (હડફ) ના કશનપુર મુકામે આવેલ કબીર મંદિર કશનપુર ખાતે કોરોનાકાળ માં આપણા બારીઆ ક્ષત્રિય સમાજના અવસાન પામેલા સદગત્ આત્માઓ માટે
સદગત્ આત્માને શાંતિ મળે તથા તેમના પરિવાર ના સભ્યોને તેમની કમી જરૂર અનુભવાતી હશે પરંતુ પરમ કૃપાળુ પરમાત્મા તેમના પરિવાર ના સભ્યો ને આ દુઃખની ઘડીમાં દુઃખ સહન કરવાની શક્તિ અર્પે તેવા ભાવ સાથે રાખેલ કાર્યક્રમ માં બારીઆ ક્ષત્રિય સમાજના આગેવાનો ની હાજરીમાં તથા કબીર મંદિર કશનપુરના મહંત શ્રી પ્રેમદાસજી સાહેબ તથા અન્ય મહંત સાહેબો તથા ગાયત્રી પરિવારના આગેવાનો તથા સ્વામિનારાયણ સંપ્રદાયના તથા રામાનંદી સંપ્રદાય તથા તમામ સંપ્રદાય સમાજના આગેવાનો તથા ખુબ મોટી સંખ્યામાં ક્ષત્રિય બારીઆ સમાજ ના ભાઈઓ બહેનો દ્વારા શ્રદ્ધાંજલિ કાર્યક્રમ નું આયોજન કરી શ્રદ્ધાંજલિ અર્પણ કરી.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ