કોંગ્રેસ પક્ષના વોર્ડ નં.3 ના બે ઉમેદવારો ના ફોર્મ રદ કરવામાં આવ્યાં..(૧) બચુજી ચેહુજી તેરવાડિયા (૨) વાલુબેન ભરતજી તેરવાડિયા આ બંને ઉમેદવારો ના ઘેર શૌચાલય ની સુવિધા ઉપલબ્ધ ન હોવાથી ફોર્મ રદ કરવામાં આવતાં કોંગ્રેસ ને મોટો ઝટકો લાગ્યો હતો જોકે કોંગ્રેસ પક્ષના કુલ મળીને 24 ફોર્મ ભરાયાં હતાં તેમાં થી બે ફોર્મ રદ કરવામાં આવ્યાં… જયારે ભાજપ ના 24 અને આમ આદમી પાર્ટીના 10 ફોર્મ મંજૂર કરવામાં આવ્યા છે… કુલ મળીને 122 ફોર્મ ભરાયાં હતાં તેમાં 56 ફોર્મ માન્ય રાખવામાં આવ્યાં છે અને 68 ફોર્મ અમાન્ય જેમાં બે ઉમેદવારો કોંગ્રેસ પક્ષના લોકો ને ઘેર શૌચાલય ન હોવાથી રદ કરવામાં આવ્યાં હોવાનું ચુંટણી અધિકારી શ્રી ફિરોઝખાન બાબી એ જણાવ્યુ હતું..અહેવાલ શ્રી વેલાભાઈ પરમાર.. કાંકરેજ બનાસકાંઠા