બડોલી ગામે 9 સપ્ટેમ્બર ના રોજ સ્વ.ઇન્દુમતીબેન વસંતલાલ નાયક ની છઠ્ઠી વાર્ષિક પુણ્યતિથિ નિમિત્તે સુંદરકાન્ડ નું આયોજન કરાયું હતું. આ પ્રસંગે અંજની સુંદરકાંડ પરિવાર કડીયાદરા ના કમલેશભાઈ દરજી ના કંઠે સંગીતમય સુંદરકાંડ ના 1358 માં પાઠનું રસપાન કરાવવા માં આવ્યું હતું. સુંદરકાંડ પાઠ દ્વારા સ્વ.ઇન્દુમતીબેન ના પવિત્ર આત્માને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી.