આજે જેઠ સુદ પૂનમના દિવસે સુહાગણ મહિલાઓ વટ સાવિત્રી નું વ્રત કરે છે જેમાં પોતાના પતિના સ્વસ્થ જીવન માટે તેમજ પતિના લાંબા આયુષ્ય માટે આ વ્રત કરવામાં આવે છે ત્યારે આજે પ્રાંતિજના મજરા નેશનલ હાઈવે પણ આવેલા વડની મહિલાઓએ પૂજા કરી હતી જેમાં આ વ્રત માટે પૂજા સામગ્રીઓમાં ઝાડને બાંધવા માટે સુતર ,કંકુ ફળ ,ફૂલ તેમજ પાણી ભરેલા કળશ સાથે મહિલાઓ પૂજા કરી હતી જેમાં મહિલાઓ પૂજા બાદ વડ સાવિત્રી ની કથા વાંચવામાં આવી હતી અને પૂજા બાદ મહિલાઓ પોતાના પતિનું લાંબુ આયુષ્ય ની પ્રાર્થના કરવામાં આવે છે અને આ વ્રત કરવાથી સુખ અને સમૃદ્ધિ પણ મળે છે
*અલ્પેશ નાયક સાબરકાંઠા*