રેલ્વેપુરા (ધીણોજ) અરજદાર પ્રવિણભાઇ લીલાચંદએ દબાણો દુર કરવા માટે આત્મવિલોપનની અરજી આપતાં ગ્રામ પંચાયત રેલ્વેપુરાના સરપંચશ્રીએ આજરોજ સવારે ૧૦ કલાકથી સાંજના ૧૬-ooકલાક સુધી ધીણોજ ચાર રસ્તાથી રેલ્વે સ્ટેશન તરફની બંને બાજુના ગેરકાયદેસર કરેલ દબાણો તેમજ અરજદારનું પોતાનું દબાણ પણ દુર કરવામાં આવ્યું ત્રણ જી.સી.બી. તેમજ ત્રણ ટ્રેકટર દ્વારા સ્થાનિક પોલીસ બંદોબસ્ત સાથે વધારાના દબાણો તારીખ ૨૭/૧/૨૦૨૧ના રોજ ગ્રામ પંચાયત રેલ્વેપુરા સરપંચશ્રી સ્ટાફ તથા તલાટીશ્રી તેમજ જીલ્લા પંચાયત સ્ટાફ જવાબદાર તંત્ર સાથે મળી બંને બાજુના દબાણો દુર કરવામાં આવ્યા હતા…
કમલેશ પટેલ
BG News
ચાણસ્મા