સી. આર. પાટીલ ના કાર્યકાળ ને એક વર્ષ પૂર્ણ થતા બક્ષીપંચ પંચ મોરચા દ્વારા રાશન કીટ નું વિતરણ કરવા માં આવ્યું.
મળતી માહિતી અનુસાર ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ને એક વર્ષ પૂર્ણ થતા સમગ્ર ગાંધીનગર જિલ્લા માં ભાજપ દ્વારા અલગ અલગ કાર્યક્રમો કરવા માં આવ્યા હતા જેના ભાગરૂપે તપોવન સંસ્કાર પીઠ માં અમીયાપુર ખાતે વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું જરૂરિયાત મંદ લોકો ને કીટ નું વિતરણ કરવા માં આવ્યું હતું સેક્ટર 12 ખાતે તથા મુક્તેશ્વર સ્વામિનારાયણ ગુરુકુળ માં વૃક્ષારોપણ કરવા માં આવ્યું હતું.
આ પ્રસેગે પ્રદેશ અધ્યક્ષ ઉદયભાઈ કાનગડ,ડેપ્યુટી મેયર નાજાભાઈ ઘાઘર જ્યંતીભાઈ કાવડીયા શહેર પ્રમુખ મહોતજી ચંદુજી ઠાકોર તથા બક્ષીપંચ મોરચા ના પદાધિકારી ઓ અને કાર્યકરો હાજર રહ્યા હતા.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ