દાહોદ, તા. ૨૪ : દાહોદ જિલ્લામાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ દરમ્યાન કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઇ રહે તે માટે જિલ્લા મેજીસ્ટ્રેટ ડો. હર્ષિત ગોસાવીએ એક આદેશમાં જણાવ્યું છે કે, જિલ્લામાં પાકરક્ષણ તથા સ્વરક્ષણ કે અન્ય હેતુ માટેના પરવાના ધરાવતા તમામ પરવાનેદારોને તેઓના હથિયાર અને કારતુસ-દારૂગોળો તા. ૨૨-૧૧-૨૦૨૧ના આદેશના દિવસથી આગામી તા. ૨૪ ડિસેમ્બર સુધી તેમના લાગુ પડતા પોલીસ મથકે જમા કરાવવા આદેશ કર્યો છે. ચૂંટણીની પ્રક્રિયા બાદ નિયમોનુસાર હથિયાર પરત કરાશે.
રિપોર્ટ :- મુનિન્દ્ર પટેલ
દાહોદ