દાહોદ જિલ્લાના દેવગઢબારિયા તાલુકાના બામરોલી ગામના વેવારીયા ડુંગરની બાજુમાંથી અજગર જોવા મળતા ગામલોકો બધા ભયભીત થઈ ગયા હતા. ત્યારે આ અજગરે એક બકરાં નું મારણ કર્યું હતું ત્યારે ગામ ના લોકો એ વન વિભાગના કર્મચારીઓને જાણ કરતા તાત્કાલિક વનવિભાગના કર્મચારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા.તયારે મારણ કરેલ બકરાં ને અજગરના મુખ માંથી બહાર કાઢ્યું હતું વનવિભાગના.કમૅચારીએ ભારેરહેમત બાદ ૧૭ ફૂટ લાંબા મહાકાય અજગર નું રેસ્કયુ કરવામાં આવ્યું હતું. રેસ્ક્યુ કર્યા બાદ એ અજગરને સહી સલામત જંગલમાં છોડી મૂકવામાં આવ્યો હતો.
રિપોર્ટ :- ભીમસિહભાઈ બારીયા
સાગટાળા