દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના કુણધા ગામે શંકરભાઈ મોહનભાઈના ખેતરમાં કામ કરતી વખતે એક વિશાળ અજગર જોવા મળ્યો હતો. ખેતરમાં અજગર જોવા મળતા તાત્કાલિક પ્રકૃતિ મિત્ર મંડળ ને જાણ કરતાં તેઓ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી ભારે જહેમત બાદ અજગરનુ રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. આ અજગર ૧૨ ફૂટનો હતો અને તેનું વજન ૩૧ કિલોગ્રામ જેવું હતું. આ અજગનું રેસ્કયુ કરી વનવિભાગ દ્વારા તેને સલામત જગ્યાએ જંગલમાં છોડી દેવામાં આવ્યો હતો
રિપોર્ટ:- જગદીશ કોળી
લીમખેડા