પ્રતિનિધિ ફતેપુરા ૧૮ સંજેલી તાલુકા મથક ખાતે દાહોદ જિલ્લા ના નિવૃત કર્મચારીઓની વાર્ષિક સાધારણ સભા યોજાઈ હતી જેમાં સરકાર દ્વારા મળતા લાભો બાબતે ચર્ચાઓ કરવામાં આવી હતી આ કાર્યક્રમમાં ધારાસભ્ય રમેશભાઈ કટારા જિલ્લા પંચાયત પ્રમુખ શીતલબેન વાઘેલા પણ ઉપસ્થિત રહ્યા હતા જેઓએ કાર્યક્રમમાં પ્રાસંગિક પ્રવચન કર્યું હતું અને વડીલોના આશીર્વાદ લીધા હતા. ધારાસભ્ય રમેશભાઈ કટારા એ વડીલોના આશીર્વાદ માંગી જણાવ્યું હતું કે નિવૃત્ત થયા પછી અધિકારીઓએ પોતાના ગામમાં જઈ વતનમાં રહી પરિવાર અને સમાજની સેવા કરીએ ગરીબ લોકોને શિક્ષિત કરવા માટેની પ્રેરણા આપવી જોઈએ. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નિવૃત કર્મચારીઓ, મહિલા મોરચાના આગેવાન રુચિતા બેન રાજ સહિત અન્ય નિવૃત મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.