દાહોદ જિલ્લાના દેવગઢબારિયા શહેરમાં શ્રાવણ મહિનાના અંતિમ સોમવારે શિવ મંદિરમાં ભક્તો ઘસારો જોવા મળ્યો હતો. દેવગઢબારિયા શહેરમાં આવેલ હંસનાથ મહાદેવ મંદિર અને રત્નેશશ્વર મહાદેવ મંદિર તથા પાતાળેશ્વર મંદિર માં ભક્તો દ્વારા શિવલિંગ પર પુષ્પ, બીલીપત્ર, જવ, તલ, અડદ, જળ અને દૂધ ચડાવી પૂજાવિધિ કરાઈ હતી. શ્રાવણ મહિનાના છેલ્લા દિવસ સોમવતી અમાસને લઈ શિવજીની મંત્રોચ્ચાર આરાધના કરાઈ હતી.
રીપોર્ટ:- કિરીટભાઈ બારીઆ.સાગટાળા