ભિલોડા તાલુકા ના ટાકાટૂંકા ગામ માં ગીરીશભાઈ પટેલ ના ફાર્મ હાઉસ ખાતે 98 ખેડૂત ભાઈ બહેનોની પ્રાકૃતિક ખેતી વિષય પર કિસાન ગોષ્ઠિ યોજાઈ જેમાં . તાલુકા અમલીકરણ અધિકારી શ્રી પીયૂષભાઈ પટેલ , મકાઈ સંશોધન કેન્દ્ર ના મુખ્ય વૈજ્ઞાનિક શ્રી રમેશભાઈ પટેલ ,બાગાયત અધિકારી હરકિસન ભાઈ , ગ્રામ સેવક બીપીનભાઈ ,માનવભાઈ પ્રગતિશીલ ખેડૂત અશોકભાઈ ,ભદ્રસિંહ જાડેજા દિનેશભાઇ અને આત્મા પ્રોજેક્ટ ના કુલદીપભાઈ પટેલ ,કલ્પેશભાઈ વગેરે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા અને ખેડૂતો ને પ્રાકૃતિક ખેતીમાં જીવામૃત ,બીજામૃત ,ઘનજીવામૃત,અસ્ત્રો, આચ્છાદાન વગેરે વિશે માર્ગદર્શન આપવામાં આવ્યું પ્રાકૃતિક ખેતી ઉપરાંત વરસાદની અછતથી હાલની પરિસ્થિતિ,તીડ/ અન્ય રોગ -જીવાતના નિયંત્રણ ,પી.એમ.કિસાન યોજના હેઠળ ખેડૂતોના,ઈ.કે.વાય.સી.ની ,ડ્રોન યોજના ,“ International Year of Millet “ ની ઉજવણી,ડીઝીટલ ક્રોપ સર્વે વગેરે યોજનાઓનું માર્ગદર્શન આપવામાં આવ્યું