ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ (સંચાલિત સોશ્યિલ એકટીવીટી ચેરીટેબલ ટ્રસ્ટ) અને સેક્ટર ૨૮ / ૧ ની સરકારી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી તથા શિક્ષક ગણ દ્વારા શનિવાર ના દિવસે સવારે સેક્ટર – ૨૮ પ્રેસ છાપરા માં દરેક ના ઘરે જઈને જે બાળકો ૫ વર્ષ થી ઉપર ના હોય તેવા બાળકો ને ધોરણ- ૧ માં દાખલ કરાવવા માટે અને જે અધ વચ્ચે થી શાળા છોડી ને જતા રહ્યા હોય એવા બાળકો ને પાછા શાળા માં દાખલ થાય એ માટે પ્રયાસ કરવા માં આવ્યો હતો. ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ ના સભ્ય અને આચાર્ય શ્રી તથા શિક્ષક ગણ દ્વારા બાળકો અને તેમના વાલી ને શિક્ષણ નું અને સરકારી શાળા માં ભણવાનું મહત્વ સમજાયું હતું. અમુક બાળકો અને તેમના વાલી ખાનગી શાળા માં થી સરકારી શાળા માં દાખલ થવા માટે પણ તૈયાર થયા હતા. બાળકો ને નાસ્તો આપવામાં આવ્યો હતો. આ ઉપરાંત ગાંધીનગર સોશ્યિલ એકટીવીટી ગ્રુપ અને સેક્ટર ૨૮ / ૧ ની સરકારી પ્રાથમિક શાળા ના આચાર્ય શ્રી દ્વારા શાળા માં વિદ્યાર્થી માટે ભવિષ્ય માં રમતગમત નું મેદાન બનાવવા માટે વિચારવામાં આવ્યું છે.
જીતેન્દ્ર પટેલ નો અહેવાલ અડાલજ