આજ રોજ પંચમહાલ જિલ્લાના પંચશીલ ખાદીગ્રામ ભવન,ગોધરા ખાતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી વી.એમ .પટેલ ની ઉપસ્થિતિ માં અને શિક્ષણ મંત્રીશ્રી અને શિક્ષણ સચિવ શ્રી વિનોદ રાવ સાહેબ ના માર્ગદર્શન હેઠળ .રાષ્ટ્રીય શૈક્ષીક મહાસંઘ ના જિલ્લાના તેમજ તમામ તાલુકાના અંદાજીત 150 જેટલા કાર્યકર્તાઓએ ખાદી ની ખરીદી કરી વિદેશી ભગાવો સ્વદેશી અપનાવો ની પહેલ કરી જેમાં પ્રાથમિક રાષ્ટ્રીય શૈક્ષિક સંઘના ના જિલ્લાના અને તાલુકાના તમામ અધ્યક્ષ. મંત્રી તથા હોદ્દેદારો.કારોબારી સભ્યો ઉપસ્થિત રહ્યા હતા. અને સ્વદેશી અપનાવો આ અભિયાનને વેગવંતુ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સંઘના હોદ્દેદારો અને કાર્યકરો દ્વારા બને તેટલા વધારે શિક્ષકો ખાદી કાપડ ની ખરીદી કરે અને સ્વદેશી વસ્તુઓ અપનાવે એવા પ્રયાસ કરવામાં આવ્યા હતા
રીપોર્ટ …. જીતેન્દ્ર ઠાકર