રાષ્ટ્રીય કીશાન સંગઠન દ્વારા અપાયેલ ભારત બંધ ના સમર્થન માં વડગામ રાષ્ટ્રીય કીશાન સંગઠન ના હોદેદારો ની વડગામ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી
રાષ્ટ્રીય કીશાન સંગઠન દ્વારા તારીખ 27-9-2021 નારોજ ભારત બંધ નુ એલાન અપાયેલ ત્યારે વડગામ રાષ્ટ્રીય કિશાન સંગઠન દ્વારા રાષ્ટ્રીય કીશાન સંગઠન દ્વારા અપાયેલ બંધ ના સમર્થન માં વડગામ ખાતે રાષ્ટ્રીય કીશાન સંગઠન ના પ્રમુખ લક્ષ્મણભાઈ ડી ચૌધરી તેમજ ઉપ પ્રમુખ રેવાભાઈ એમ પરમાર અને મહામંત્રી ગોવિંદભાઇ એમ ચૌધરી જિલ્લા ઉપ પ્રમુખ જવાનસિહ હડીયોલ,, જિલ્લા યુવા મહામંત્રી રાકેશભાઈ ચૌધરી અને ખેડુત અગ્રણી કિરણભાઈ પરમાર અને કીર્તીભાઈ પરમાર તેમજ અન્ય અગ્રણીઓ હાજર રહી ને રાષ્ટ્રીય કીશાન સંગઠન દ્વારા અપાયેલ બંધ ના એલાન ને સમર્થન આપવા જતા પહેલા જ વડગામ પોલીસ દ્વારા ધરપકડ કરીને વડગામ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા અને જય જવાન જય કિસાન ના નારા સાથે વડગામ રાષ્ટ્રીય કીશાન સંગઠન ના હોદેદારો આગેવાન શ્રી ઓ દ્વારા ધરપકડ વહોરી હતી
રીપોર્ટ,,, અબ્બાસ મીર ..વડગામ