બનાસકાંઠા જિલ્લા ના વર્ગ -2 થી વર્ગ -3 ના કર્મચારીના વિવિધ વહીવટી પ્રશ્નો જેવા કે20 દિવસ ઉપર ની રજા મંજુર, કર્મચારી નાં હિન્દી મુકિત આદેશ, બઢતી ઉચ્ચતર માટે ખાતાકીય પરિક્ષા મુકિત આદેશ, નાણાકીય બિલો LTC,TTA ઘણાં લાંબા સમય થી પડી રાખવા, ખાલી પડેલ સુપર વાઇઝર કેડર ની જગ્યા ઉપર સીનીયોરિટી ધોરણે બઢતી આપવા બાબતે વહીવટી કર્મચારીની નિષ્ક્રિયતા ને કારણે નિરાકરણ ના આવતા કોરોના ના કપરાં સમયકાળ દરમ્યાન પોતાની તેમજ પરીવાર ની ચિંતા કર્યા સિવાય રાત દિવસ ખડે પગે રહી પ્રજાની સેવા કરનાર આરોગ્ય કર્મચારી ને પોતાના વહીવટી પ્રશ્નો માટે હાલ માં ચાંદી પુર વાયરસ ના રોગચાળા ની પરિસ્થતિ ને ધ્યાને લઇ આરોગ્ય કર્મચારીઓ પોતાની ફરજ નિયમિત બજાવશે પરંતુ કરેલ કામગીરી નું રીપોર્ટીંગ તા.29-7-24 ના રોજ થી બંધ કરવા સારું પ્રા.આ. કે, તાલુકા તેમજ જિલ્લા કક્ષા એ લેખિત આવેદન પત્ર આપી હડતાળ નું એલાન કરેલ છે. અહેવાલ તસ્વીર: કિશન શર્મા અંબાજી