થરાદ
તસ્વીર એહવાલ વસરામ ચૌધરી
થરાદ તાલુકાના માંગરોળ ગામે નવીન બની રહેલા વન કવચ ખાતે 25 હજાર વૃક્ષો નું વાવેતર કરવામાં આવનાર છે જેને લઈને માંગરોળ ખાતે વન કવચ માં ફોરેસ્ટ વિભાગ અને ગ્રામજનો દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.
થરાદ તાલુકાના માંગરોળ ગામે 25000 હજાર વૃક્ષોનું વાવેતર કરવામાં આવનાર છે. જેના ભાગરૂપે માંગરોળ ખાતે વૃક્ષારોપણ કરવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ વૃક્ષારોપણ કાર્યક્રમ માં થરાદ ફોરેસ્ટ અધિકારી સેજલબેન ચૌધરી તેમજ આઈશ્રી શેણલ માતાજી મંદિરના ટ્રસ્ટી શૈલેષભાઈ ચૌધરી તેમજ અજયભાઈ ચૌધરી તેમજ ફોરેસ્ટના અધિકારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહી વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું.