ગુજરાત હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર જિલ્લામાં પ્રતિબંધ

0
0

ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) નું ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ એ એક ગુનાહિત પ્રવુતિ

(માહિતી બ્યુરો,પાલનપુર)

ગુજરાત હાઈકોર્ટમાં થયેલ જાહેર હિતની અરજી સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ બાબતે બનાસકાંઠા જિલ્લામાં જાહેર જનતામાં જન જાગૃતિ આવે તેમજ તેનો વપરાશ અટકે એ માટે જિલ્લામાં ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) ના ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ મુકવામાં આવેલ છે. ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ) નું ઉત્પાદન વેચાણ તથા ઉપયોગ એ એક ગુનાહિત પ્રવુતિ છે.

સંયુક્ત પશુપાલન નિયામકશ્રી, ગુજરાત પ્રાણી કલ્યાણ બોર્ડ, ગુજરાત રાજ્ય ગાંધીનગરના નોટિફિકેશન ( નામદાર ગુજરાત હાઇકોર્ટમા થયેલ Writ Petition (PIL) 28/2024) સંદર્ભે ઉંદર પકડવાની જાળ (ગ્લુ ટ્રેપ)ના ઉત્પાદન, વેચાણ તથા ઉપયોગ પર પ્રતિબંધ અંગે તા.૦૫/૦૯/૨૦૨૩ ના પરિપત્રથી સૂચના થયેલ છે.

જે અંતર્ગત પ્રાણી ક્રૂરતા અધિનિયમ, ૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ કોઈપણ પ્રાણીને બિન જરૂરી પીડા, વેદના ન આપવા અંગે જોગવાઈ થયેલ છે. બનાસકાંઠા જીલ્લામાં ઉક્ત જોગવાઈનું ચુસ્તપણે અમલવારી કરવાની થાય છે. ઉંદર પકડવામાં ઉપયોગમાં લેવામાં આવતી (ગ્લુ ટ્રેપ) જેને ગ્લુ-બોર્ડ અથવા સ્ટીકી ટ્રેપ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે બિન-ઘાતક અથવા પ્રતિબંધિત પ્રકાર છે, જેનો ઉપયોગ મોટાભાગે ઉંદરોને પકડવા માટે થાય છે. જ્યારે ઉંદર ગ્લુ ટ્રેપવાળી સપાટી પર ચાલે છે અથવા ઉતરે છે ત્યારે તેઓ ગુંદરની જાળમાં પકડાયા પછી ઉંદર પોતાની રીતે મુક્ત ફરવામાં અસમર્થ હોય છે જેના પરિણામે ડીહાઈડ્રેશન, ભૂખમરો, ગૂંગળામણના કારણે આખરે ઉંદર પીડાદાયક મૃત્યુ પામે છે.

ઉંદરોનું નિયંત્રણ ઇચ્છનીય છે પરંતુ તે માટે ઉપયોગમાં લેવાતી પધ્ધતિઑ પ્રાણી ક્રૂરતા નિવારણ અધિનિયમની જોગવાઇઓ ભંગ કરતી ન હોવી જોઈએ. જેથી ઉંદરોની વસ્તી નિયંત્રણ માટે અત્યંત ક્રૂર પધ્ધતિ ના અપનાવવા અને ઉંદર પકડવા સારું વિવિધ સાધન સામગ્રી વેચાણ કરતાં વિવિધ એકમોને ગ્લુટ્રેપના વેચાણ ઉપર બનાસકાંઠા જીલ્લામાં પ્રતિબંધ ફરમાવવામાં આવે છે.

ઉક્ત સૂચનાઓનો ભંગ કરનાર સામે પ્રાણી ક્રૂરતા અધિનિયમ,૧૯૬૦ ની કલમ ૧૧ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે એવું લોકહિતમાં સભ્ય સચિવ સહ નાયબ પશુપાલન નિયામકશ્રી, જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી, બનાસકાંઠાની અખબારયાદીમાં જણાવ્યુ છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here