સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજના ગલેસરા ગામમાં આજે શ્રી મોમાઈ માતાજી નો ફોટો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ રંગેચંગે ઉજવાયો હતો જેમાં માતાજીની ડીજેના તાલ સાથે શોભાયાત્રા કાઢવામાં આવી હતી અને સવારથી જ માતાજીની પ્રાણ પ્રતિષ્ઠા નો પ્રારંભ કરવામાં આવ્યો હતો ત્યારે મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર ,જિલ્લા સદસ્ય મહેન્દ્રસિંહ રાઠોડ,તાલુકા પંચાયત પ્રમુખ સ્વામી દિલીપભાઈ મકવાણા ,તાલુકા સદસ્ય પ્રદીપસિંહ રાઠોડ ઉપસ્થિત રહી માતાજી ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી તો માતાજી ની પ્રાણ પ્રતિષ્ઠામાં 12 યજમાન શ્રી ઓએ ધર્મ લાભ લીધો હતો અને
શાસ્ત્રી સંતોષ ભાઈ લાભ શંકર દ્વારા યજમાનોને વિધિવત પૂજા-અર્ચના કરાઇ હતી ત્યારે બપોરે મહાપ્રસાદ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે ગામના આગેવાનો યુવાનો તેમજ મહિલાઓ ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી
અલ્પેશ નાયક
BG NEWS
સાબરકાંઠા