કેળવણીધામ ના તાલીમાર્થીઓને આસીટન્ટ ઈજનેર તરીકે નિમણુંકો કરાઈ
અરવલ્લી
કેળવણીધામ-સરદારધામ યુપીએસસી-જીપીએસસી સ્પર્ધાત્મક તાલીમ કેન્દ્ર ખાતે તાલીમ લઈ રહેલા 13 વિદ્યાર્થીઓ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેવાયેલી પરીક્ષામાં આસિસ્ટન્ટ ઈજનેર સિવિલમાં પસંદગી પામતાં સરદારધામ-કેળવણીધામ ના પ્રમુખસેવક ગગજીભાઈ સુતરિયા, ઉપપ્રમુખ નટુભાઈ પટેલ, માનંદમંત્રી -ચેરમેન સિવિલસર્વિસ કેન્દ્ર ટી જી ઝાલાવાડિયા રિટાયર્ડ આઈ એ એસ , ડાયરેક્ટર સીવીલસર્વિસ કેન્દ્ર સી એલ મીના રિટાયર્ડ આઈ એ એસ તેમજ એચ એસ પટેલ રિટાયર્ડ આઈ એ એસ તથા સરદારધામ ના સી ઈઓ એ તમામને અભિનંદન આપ્યા હતા આમ સિવિલ સર્વિસ કેન્દ્ર માં સમાજ ના વિદ્યાર્થીઓ ને વિનામૂલ્યે સ્પર્ધાત્મક પરીક્ષાઓ ની તૈયારીઓ કરાવી કારકિર્દીમાં મદદરૂપ થતી સંસ્થા પાટીદાર સમાજના લોકો માટે ખુબજ મદદરૂપ થઇ રહી છે