કાંકરેજ તાલુકામાં થરા ખાતે આજ રોજલાઈબ્રેરી નું ઉદઘાટન કરવામાં આવ્યું હતું જેમાં આજરોજ કાંકરેજ તાલુકાના જાખેલ ગામના અને અમદાવાદ ખાતે ઓએનજીસીમાં ફરજ બજાવતા શ્રી રમેશભાઈ ડામર ભાઈ ના વરદ હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.જે અનુસંધાને કાંકરેજ તાલુકાના અગ્રણી આગેવાનો તેમજ યુવાનો હાજર રહ્યા હતા
જેમાં શૈક્ષણિક ક્ષેત્રે સમાજનું એક પરિવર્તન થાય અને બાળકો શિક્ષિત અને સંગઠિત બને અને શિક્ષણનો પાયો મજબૂત બને તે હેતુથી આ લાઇબ્રેરીનું થરા ખાતે આજરોજ ઉદ્ઘાઘાટન કરવામાં આવ્યું હતું જેમાં ટોટાણા ગામના રત્નાભાઇ ચાચાની તેમજ નવ સર્જન ટ્રસ્ટ શ્રી મોહનભાઇ પરમાર તેમજ કાંકરેજ તાલુકાના ઉત્કર્ષ મંડળ શિક્ષક સ્ટાફ હાજર રહ્યા હતા.
અહેવાલ શ્રી વેલાભાઇ પરમાર બનાસકાંઠા