આદર્શ વિદ્યાલય, વિસનગરમાં “સિદ્ધિ, પ્રેરણા અને પ્રોત્સાહન” મોટીવેશન કાર્યક્રમ યોજાયો..

0
0


શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ સંચાલિત આદર્શ વિદ્યાલય, વિસનગરમાં તા-24/7/2024 ના રોજ ધો-10 અને 12 ના વિદ્યાર્થીઓ માટે “સિદ્ધિ, પ્રેરણા અને પ્રોત્સાહન” મોટીવેશન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટીવેશનલ સ્પીકર તરીકે માનવ વિકાસ સૂઝ સંસ્થાના પ્રણેતા શ્રી દેવરાજભાઈ ચૌધરી ઉપસ્થિત રહ્યા હતા. જેમને સ્વપ્ન, ઈચ્છા, દ્દઢ નિશ્ચય, સમર્પણ, દિશા, કારકિર્દી, સમયનું આયોજન, મન: સ્થિતિ, અભિરુચિ, સમૃદ્ધ વિચારધારા, આત્મવિશ્વાસ, એકાગ્રતા, સાતત્ય, આનંદિત અવસ્થા, લક્ષ્ય અને સિદ્ધિ વિશે અક્ષર અને શબ્દાવલી થકી પ્રેરણાદાયી વક્તવ્ય આપી વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કર્યા હતા. તથા “તમે છો અણમોલ.. તમારો ન થાય કદી મોલ.. તેથી જ કરી લો તમે તમારો તોલ..” તથા “વક્ત ઉનકો હી સાથ દેતા હૈ જો વક્ત કે સાથ ચલતા હૈ” જેવી ઉક્તિઓ- સૂક્તિઓ દ્વારા વિદ્યાર્થીઓમાં નવીનત્તમ ઉર્જાનો સંચાર કર્યો હતો.
આમ શ્રી અખિલ આંજણા કેળવણી મંડળ, વિસનગરના પ્રમુખશ્રી તથા અન્ય હોદ્દેદારશ્રીઓના માર્ગદર્શન નીચે તથા આચાર્યશ્રીની પ્રેરણા થકી સમગ્ર સ્ટાફ મિત્રોના સહયોગથી કાર્યક્રમનું સુચારુ આયોજન થયું હતું.

રીપોર્ટ,, અબ્બાસ મીર વડગામ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here