સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ગળતેશ્વર ગામમાં આવેલા ગલતેશ્વર મહાદેવના મંદિરે પરંપરાગત દર વર્ષે અમાસના દિવસે લોકમેળો ભરાય છે ત્યારે આજુબાજુના ગામના લોકો ગલતેશ્વર મહાદેવ ના દર્શન કરી મેળાનો આનંદ માણતા હોય છે પરંતુ આ વર્ષે પણ સરકારશ્રી ની ગાઈડલાઈન મુજબ તારીખ 06/09/2021 ને સોમવારે અમાસના દિવસે ગળતેશ્વર ખાતે ભરાતો લોક મેળો આ વર્ષે પણ મોકૂફ રાખવામાં આવે છે જે અંગે મંદિરના ટ્રસ્ટી રાકેશભાઈ જોશી તેમજ કારોબારી સભ્યોએ જણાવ્યું હતું.
અલ્પેશ નાયક…પ્રાંતિજ