ઝાલોદ નગર ના ધર્મપ્રેમી જનતા મા હિન્દુ ધર્મ ને મજબૂત કરવા તેમજ લોક જાગૃતિ માટે વિશ્વહિન્દુ પરિષદ બજરંગ દળ દ્વારા હિન્દુ ધર્મ સનાતન ધર્મ ના પવિત્ર ગ્રંથ રામાયણ ના રચેયતા
મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રી રામ ના આદર્શ ચરિત્ર ને “રામાયણ” રૂપે કલમબદ્ધ કરીને સંપૂર્ણ સંસારને ધર્મ,ત્યાગ અને કર્તવ્ય ની મહાન સીખ આપનાર આદિકવિ મહર્ષિ વાલ્મીકિજી ની જયંતિ એ તેમનું પૂજન કરી સત્સંગ ભજન કરાયું
જેમાં વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા 20-10-2021 બુધવાર ના શરદ પૂર્ણિમા ના રોજ ભરત ટાવર પર રાત્રે સત્સંગ ભજન રાખવામાં આવ્યું હતું જેમાં ,ધ્રુપલ પટેલ દ્વારા સુંદર સત્સંગ કાર્યક્રમ યોજાયો હતું આ પ્રોગ્રામ મા ઝાલોદ નગર vhp અને બજરંગ દળ ના પ્રમુખ અને નગરજનો ઉપસ્થિત રહ્યા હતાં
રિપોર્ટ:પંડિત પંકજ
ઝાલોદ