17 સપ્ટેમ્બર ના રોજ દેશ ના વડાપ્રધાન અને ગુજરાત ના પનોતા પુત્ર એવા રાષ્ટ્ર પુરુષ નરેન્દ્ર ભાઈ મોદી ના 71 માં જન્મદિવસે બડોલી ગામના વૃક્ષ પ્રેમી અને સમાજ સેવક અમૃતભાઈ પ્રજાપતિ ,વેપારી મિત્રો અને ગ્રામજનો દ્વારા વૃક્ષા રોપણ કરી વડાપ્રધાન મોદીજી ના જન્મ દિવસ ની ઉજવણી કરી હતી. આ પ્રસંગે નરેન્દ્રભાઈ મોદી ના નિરોગી અને લાબું આયુષ્ય ની કામના સાથે દેશ હિતના નિર્ણયો થકી દેશને વિશ્વ ગુરુ બનાવવા મજબૂતી સાથે આગળ વધે તેવી પ્રાર્થના કરાઈ હતી.